સ્નેહરશ્મિ ~ એને કોણ રોકે ? * Snehrashmi
આ પૂનમની ચમકે ચાંદની, એને કોણ રોકે?
કાંઇ સાગર છલક્યા જાય, એને કોણ રોકે?
આ આષાઢી વરસે મેહૂલો , એને કોણ રોકે?
કાંઇ પૃથિવી પુલકિત થાય, એને કોણ રોકે?
આ વસંતે ખીલતાં ફૂલડાં, એને કોણ રોકે?
કાંઇ ભમરા ગમ વિણ ગાય, એને કોણ રોકે?
આ આંબે મ્હોરતી મંજરી, એને કોણ રોકે?
કાંઇ કોકિલ ઘેલો થાય, એને કોણ રોકે?
આ અંગે યૌવન પાંગરે, એને કોણ રોકે?
કાંઇ ઉરમાં ઉર નહિ માય ! એને કોણ રોકે?
– સ્નેહરશ્મિ
કવિ ઝીણાભાઈ રતનજી દેસાઇ ‘સ્નેહરશ્મિ’ના જન્મદિને સ્મરણ અને વંદન સહ
16.4.21
***
ડો. પુરુષોત્તમ મેવાડા
16-04-2021
‘સ્નેહરશ્મિ’ ની આ કવિતા શાળા દરમ્યાનમાં ભણેલા એ યાદ આવ્યું.
છબીલભાઈ ત્રિવેદી
16-04-2021
કવિ શ્રી સ્નેહરશ્મિ સાહેબ ના જન્મદિવસ ની ખુબ ખુબ શુભ કામના, તેમના કાવ્યો વિશે તો શું કહેવુ ગુજરાતી કાવ્ય જગત ના જળહળતા સિતારાઓ હતા આભાર લતાબેન
પ્રતિભાવો