Category: સ્વરૂપ

અર્વાચીન કવિતા ~ સુરેશ જોશી * Suresh Joshi

આપણાં વિવેચને વાત્સલ્યભાવે અર્વાચીન કવિતાને ઘણાં લાડ લડાવ્યાં છે. પણ સાચું વાત્સલ્ય સુવિકાસનું વિરોધી હોઈ શકતું નથી. વાત્સલ્યાસ્પદના હિતને ખાતર કેટલીક વાર વ્હાલભરી મીઠી ટકોર કરવાની પણ જરૂર રહે છે. આ કર્તવ્યનું પાલન કરવામાં ચૂકનાર વાત્સલ્ય પોતે જ વિકાસમાં અવરોધક...