સમજી જવું
બોજ વધતો જાય તો સમજી જવું
કે હવે છે ડાળનું બટકી જવું
એ કહે છે કે હવે અટકી જવું
હું કહું છું કે હજી ધબકી જવું
કેટલે ઊંડે સુધી ધરબી શકો
યાદનો ગુણધર્મ છે ફણગી જવું
હર ટકોરો હોય નહિ ભણકારનો
હર પળે વિશ્વાસને વળગી જવું
~ જિતુ ત્રિવેદી
‘બોજ વધતો જાય તો સમજી જવું, કે હવે છે ડાળનું બટકી જવું’ – જીવનના સત્યને પામી લેવાય ત્યારે એ શબ્દોમાં આમ વ્યક્ત થાય.
ઊંડા વિશ્વાસની પ્રતીતિ કરાવતા બીજા બધા જ શેર…

સમજી જવું અને ભીંતે ગઝલ..ના સકળ શે’ર મર્મજ્ઞ, હ્રદયસ્પર્શી છે..
આદરણીય હરકિસન જોષીને યાદ કર્યા એ ગમ્યું.
કવિને અભિનંદન…
ખૂબ સરસ ગઝલો, ગમી.
વાહ જિતુભાઈ.. બન્ને ગઝલો ખૂબ સરસ
બંને ગઝલ ગમી.
જીતુભાઈને અભિનંદન. 🌹
બંને રચનાઓ માર્મિક છે.
બીજી રચનામાં રામની મૂર્તિ ને ખુદાના અક્ષરોની વા ત જુદો જ સંદર્ભ ખોલી આપે છે. અભિનંદન.
ભીતર ભરેલ ભંડારનો પરિચય આપતી આ પ્રતિનિધિ રચનાઓ ખૂબ ગમી. અભિનંદન. શુભેચ્છાઓ.
જિતુની ગઝલો ને તમારું ટૂંકું ને ટચ અવલોકન :બંનેને ધન્યવાદ.
વંદન પ્રિય મનોહરભાઈ