ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’ ~ આપને તારા *
આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .
તૂંબડું મારું પડ્યું નકામું
કોઇ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
પછી મારી ધૂન જગાવું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .
એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
એમાં થઇ મસ્ત હું રાચું.
આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું
~ ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’ (12.5.1905-14.11.1963)
ભાગ્યેજ કોઈ એવું હશે કે જેણે ઉપરનું કાવ્ય ન વાંચ્યું હોય. કવિ શ્રી બાદરાયણનું આ કાવ્ય-ભજન સ્વરૂપે એટલું લોકપ્રિય બન્યું છે કે આ એમનું સિગ્નેચર કાવ્ય કહેવાય છે.
કવિનો પરિચય વાંચો નીચેની લિન્ક ખોલીને (એના પર ટચ કરીને)
ભજન/કાવ્ય ગેય હોવાને કારણે ખૂબ પ્રચલિત છે.