ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’ ~ આપને તારા *

આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .

તૂંબડું મારું પડ્યું નકામું
કોઇ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
પછી મારી ધૂન જગાવું.

સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .

એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
એમાં થઇ મસ્ત હું રાચું.

આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું

~ ભાનુશંકર વ્યાસ  બાદરાયણ’ (12.5.1905-14.11.1963)

ભાગ્યેજ કોઈ એવું હશે કે જેણે ઉપરનું કાવ્ય ન વાંચ્યું હોય. કવિ શ્રી બાદરાયણનું આ કાવ્ય-ભજન સ્વરૂપે એટલું લોકપ્રિય બન્યું છે કે આ એમનું સિગ્નેચર કાવ્ય કહેવાય છે.

 કવિનો પરિચય વાંચો નીચેની લિન્ક ખોલીને (એના પર ટચ કરીને)

https://www.kavyavishva.com/?p=17360

2 Responses

  1. Minal Oza says:

    ભજન/કાવ્ય ગેય હોવાને કારણે ખૂબ પ્રચલિત છે.

  1. 29/05/2024

    […] ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’ ~ આપને તારા * B… […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: