પ્રણવ ઠાકર ~ અગનમાં ભળી જઉં * Pranav Thakar

તમે જો કહો તો

અગનમાં ભળી જઉં તમે જો કહો તો,
સૂરજ સો ગળી જઉં તમે જો કહો તો.

તમારાં જ નામે ધબકતું હૃદય  છે,                                   
હું પાછો વળી જઉં તમે જો કહો તો.

ભલે આમ તો લાગું વજ્જર સરીખો,
સહજ ઓગળી જઉં તમે જો કહો તો.

ગગન મધ્યમાં ભાનુ તપતો ભલે હો,
પળમાં ઢળી જઉં તમે જો કહો તો.

નથી વાત સ્હેલી સમજવી અગમની,
ઈશારા કળી જઉં તમે જો કહો તો.

ગમે તે સમયમાં, ગમે તે સ્વરૂપે,
ગમે ત્યાં મળી જઉં તમે જો કહો તો.

‘પ્રણવ’ માર્ગ જો ઘોર અંધાર લાગે,
તરત ઝળહળી જઉં તમે જો કહો તો.

 ~ પ્રણવ ઠાકર

‘તમે જો કહો તો’  

પ્રિયા માટે કંઈ પણ કરી શકવાની, કરી છૂટવાની ભાવનાનાં ગીતો, ગઝલ, સોનેટ અને અછાંદસ પણ કેટલાં લખાયાં હશે! અને તોયે દરેકમાં કંઈક અલગપણું મળી તો રહે…. એ માનવીની તાકાત તો ક્યાંથી હોય ? તાકાત પ્રેમની…. એ જાનફેસાનીના ભાવની….

8 Responses

  1. Minal Oza says:

    જુદી જુદી રીતે પ્રિયજન માટે ત્યાગની વાત સરસ કરી છે.

  2. Anonymous says:

    દિલ થી આભાર🙏🤗

  3. પ્રણવ ઠાકર says:

    દિલ થી આભાર🙏🤗

  4. વાહ, પ્રેમાભિવ્યક્તિ.

  5. વાહ ખુબ સરસ કાવ્ય ખુબ ગમ્યુ

  6. દિપકવ્યાસ 'સાગર' says:

    વાહ ડો. સાહેબ અદ્ભૂત રચના…….. 👌🏽👌🏽

  7. Saryu Parikh says:

    સરસ રચના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: