કોણ છે ?
બંધ દરવાજાની ભીતર કોણ છે ?
હું જો બાહર છું તો અંદર કોણ છે ?
લાવ ચાખી જોઈએ ખારાશને
તું નદી છે તો સમંદર કોણ છે ?
કે સમયની રેત પર લિપિ લખી
આ પવન પૂછે નિરક્ષર કોણ છે ?
કોઈએ કંડારેલા પથ્થરને હું
રોજ પૂછું છું કે ઈશ્વર કોણ છે ?
કોણ વરસાવે છે પ્રશ્નોની ઝડી
ને રહે છે અનુત્તર, કોણ છે ?
~ હનીફ સાહિલ

સરસ ગઝલ બંને
બન્ને ગઝલ સંવેદનશીલ.
જુદા જુદા વિષયોને લઈને આવતી બંને ગઝલ સારી છે.
બંને ગઝલો મનનીય છે.
શ્રી હનીફ સાહિલ એક ઉત્તમ ગઝલકાર છે… તેમની રચનાઓ દિલ દિમાગને સ્પર્શી જતી હોય છે… બન્ને રચનાઓ ખૂબ સરસ…
હનીફ ગુજરાતી ભાષાના અવ્વલ અને અગ્રણી ગઝલ છે.
જી અને આપ પણ ગુજરાતી કવિતાનું ગૌરવ છો.
હનીફ ગુજરાતી ભાષાના અવ્વલ અને અગ્રણી ગઝલ છે.
ગુજરાતી વિવચન એમને મુખોમુખ થયું જ નથી.
એ પણ સાચું.