
આ દર્દ
આ દર્દ મૌનમાં જ છવાતું ભલે હવે,
મેં તો કહ્યું હતું મને, ને સાંભળ્યું તમે.
આ સાંજની હવાને યાદ સૌમ્ય ઉદાસી,
ચાલી ગયા એ સંગ સમયની, ઊભા અમે.
મેં મિત્રને જુદા ગણીને ઓળખ્યા નથી,
જોયું કે એમને જ અજાણ્યા થવું ગમે.
ભૂલી જવાય તોય ગુમાવાનું કંઈ નથી,
એ ભૂતકાળ તો જગતમાં સર્વદા ભમે.
મેં તો વિદાયનો જ અનુભવ સદા કર્યો,
ખોલી બતાવ્યું આભ જનારા વિહંગમે.
~ રઘુવીર ચૌધરી
એક સૌમ્ય પ્રતિભાની એવી જ સૌમ્ય કવિતા. ઉદાસી, એકલતા, પીડાની વાત પણ હળવી હવાની લહેર જેવી.

આપે યોગ્ય જ કહ્યું, સૌમ્ય વ્યક્તિ કવિ શ્રી રઘુવીર ચૌધરી. નમસ્કાર! સરસ ગઝલ.
બંને રચનાઓ સરસ છે.
બન્ને રચનાઓ ખૂબ ખૂબ સરસ…
અભિનંદન.