અશરફ ડબાવાલા ~ નિયમો
ઊડવા કંઈ કામ ના લાગ્યા ~ અશરફ ડબાવાલા
ઊડવા કંઈ કામ ના લાગ્યા પવનના નિયમો;
કેમ કે નહોતા અમે જાણ્યા પતનના નિયમો.
પ્રેમ કરવો ને ગઝલ લખવી ભલે ઉત્કર્ષ છે,
એને પણ લાગુ પડે સઘળા વ્યસનના નિયમો.
જે નથી વાકેફ પાણીથી કે એના બિંબથી,
એ મને સમજાવે છે વક્રીભવનના નિયમો.
એના સપનામાં કશું સપનાપણુંયે હોય શું?
આંખ મીંચવામાં જે પાળે છે શયનના નિયમો.
છે દડા ને ખેલથી ૫૨, એને પણ અશરફ! હવે,
શીખવાના છે અહીં કાલીદમનના નિયમો.
~ અશરફ ડબાવાલા
મત્લાનો શેર તો મજાનો છે જ પણ બીજો શેર, ક્યા કહના ! પ્રેમ કરવામાં વ્યસનના નિયમો લાગુ પડે જ… અને આજકાલ ગઝલનો આ થોકબંધ ઘાણ ઉતારતા
કવિઓને પણ વ્યસનનો નિયમ જ લાગુ પડે !
અંતિમ શેરમાં પ્રશ્ન થયો કે ‘કાલીદમનના નિયમો’ હોય ખરા ? પણ એ તો કવિ જ કહી શકે ! અથવા બીજા કોઈ ?
OP 3.4.22
આભાર
06-04-2022
આભાર લલિતભાઈ, મેવાડાજી, વારિજભાઈ, ડો. અવ્વલજી
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.
લલિત ત્રિવેદી
03-04-2022
વાહ વાહ
સાજ મેવાડા
03-04-2022
ખૂબ સુંદર ગઝલ.
Varij Luhar
03-04-2022
કવિશ્રી અશરફ ડબાવાલા ની સુંદર ગઝલ માણવા મળી તેનો
આનંદ.વક્રીભવનના નિયમો … વાહ
ડો. અવ્વલ સાદિકોટ
03-04-2022
સુંદર રચના.
રોજ સવારે કાવ્યવિશ્વ માં કવિતા/ગઝલ વાંચવાનું પણ વ્યસન થઈ ગયું છે. અને એ વ્યસનમાં મને તો ઉત્કર્ષ જ દેખાય છે.
પ્રતિભાવો