ભગવાન થાવરાણી ~ આમ બચપણની & બે કવિ હતા * Bhagvan Thavrani

આમ બચપણની કોઈ ગલીએ

આમ બચપણની કોઈ ગલીએ રખડતા હોઈએ
આંખ ખૂલતાં એ જ ખોલીમાં સબડતા હોઈએ

જ્યાં ન હોવું જોઈએ ત્યાં હોઈએ ભરચકપણે
કિન્તુ જ્યાં હોવું ઘટે ત્યાં બસ અછડતા હોઈએ

જાગતાં નઘરોળ જૂઠાણાંને દંડવત્ વંદીએ
સાવ નરવું સત્ય નિંદરમાં બબડતા હોઈએ

દિવસે જગથી ગલત સમજૂતીઓ કરીએ અને-
જાત સાથે એ પછી રાતે ઝઘડતા હોઈએ

બે ગઝલની તુકબંદી ને ચાર જણની વાહ-વાહ
જાતને લેખી કવિ જાતે અકડતા હોઈએ

વેળ વીતી તોય સિદ્ધાંતોનું પકડી પુંછડું
થોપીને જિદ્દ આપણી ઘરને કનડતા હોઈએ..

~ ભગવાન થાવરાણી

મુખવટો પહેરીને ફરતા, દોહરી જિંદગી જીવતા માનવીની કથા અને વ્યથા…  

@@

બે કવિ હતા

બે કવિ હતા

છેવટ લગી બચી ગયેલા

એ પણ પુરસ્કૃત થઈ ગયા

આ વર્ષે..

આમ જેટલા કવિ હતા

બધા પુરસ્કૃત થયા

અને કવિતા ખોઈ બેઠી

બધાનો ભરોસો..

~ કાત્યાયની

~ હિન્દી પરથી અનુવાદ :  ભગવાન થાવરાણી

કવિ જમાત પર કેવો વ્યંગ્ય

@@

4 Responses

  1. ઉમેશ જોષી says:

    ગઝલ અને અછાંદસ રચના ખૂબ ખૂબ સરસ છે.

  2. બન્ને રચનાઓ ખુબ સરસ

  3. કમલેશ says:

    ખૂબ સરસ ગઝલ અને બીજા અછાંદસનો સ-રસ અનુવાદ.
    અભિનંદન 🌹

  4. વાહ, સરસ ગઝલ, અને વ્યંગ કાવ્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: