અનિલ જોશી ~ કેમ સખી ચીંધવો પવનને * Anil Joshi

કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝંઝાના સૂસવાટા પાંખમાં ભરીને ઊડું આખ્ખું ગગન મારી ઇચ્છા
વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં ખરતા પરભાતિયાનાં પીંછાં
ઉરમાં તે માય નહીં ઉડતો ઉમંગ મને આવીને કોઇ ગયું સાંભળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઈ, એવું તો મંન ભરી ગાતો, કંઈ એવું તો વંન ભરી ગાતો…
જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર, ક્યાંય કાગડો થઇ ન જાય રાતો!
આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઇ ઊડી જાય વાંસળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

~ અનિલ જોશી

5 Responses

  1. ઉમેશ જોષી says:

    વાહ સરસ..
    કવિ શ્રી ને જન્મ દિવસની સુકામનાઓ.

  2. Minal Oza says:

    લાંબી પંક્તિ એ અ.જો. ના ગીતની વિશેષતા છે.

  3. જન્મદિવસ ની શુભ કામના

  4. નીપા ભટ્ટ says:

    હું માનું છું, મૂળ ગીતમાં “ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઈ, એવું તો ‘મંન’ ભરી ગાતો, કંઈ એવું તો ‘વંન’ ભરી ગાતો…”, એવું છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: