સ્નેહા પટેલ
તું મારામાં ખોવાઈ જાય
પછી
હું
મને
મારામાંથી
સંપૂર્ણપણે
પાછી મળું છું.
– સ્નેહા પટેલ
ઉપરના શબ્દોને સળંગ લખી નાખો તો વ્યાકરણની દૃષ્ટિએ પૂરું ગદ્ય વાક્ય છે પણ એમાં કવિતા છે…. પૂર્ણ અનુભુતિની અભિવ્યક્તિનું કાવ્ય રચાઇ ગયું છે … શબ્દો એક પછી એક તૃપ્તિના બુંદની જેમ ટપકયા છે.
ચાલો જોઇએ આ જ કવયિત્રીની બીજી આવી જ એક નાનકડી કવિતા…
રાતે સૂતીવેળા …. તારો છેલ્લો વિચાર હું …. અને….. આંખ ખૂલતીવેળા …. મારી નજર સામે તું.. જિંદગી, તારી પાસેથી …. વધારે ક્યાં કંઈ માંગ્યું છે અમે ! – સ્નેહા પટેલ
સાભાર – ‘અક્ષિતારક’ કાવ્યસંગ્રહ
8.4.21
પ્રતિભાવો