સુચિતા કપૂર ~ કહે * Suchita kapoor
કહે, ક્યારે તેં મને ચાહી હતી ?
યૌવન ઉંબરે હતું ત્યારે ?
ત્યારે તેં મને ચાહી હતી ?
કે લગ્નની વેદી પર
જીવવા-મરવાના કોલ આપ્યાં હતા ત્યારે ?
ત્યારે તેં મને ચાહી હતી ?
કે સાહચર્યની શરૂઆત થઇ ત્યારે ?
કે માતૃત્વના મંડાણ થયા ત્યારે ?
ત્યારે તેં મને ચાહી હતી ?
કે યૌવન વિદાય લેવા લાગ્યું
અને પ્રૌઢાવસ્થા આંગણે આવી ત્યારે ?
ત્યારે તેં મને ચાહી હતી ?
કહે ને ! તેં ક્યારે મને ચાહી હતી ?
કહે ને ! તેં ક્યારેય મને ચાહી હતી ?
– સુચિતા કપૂર
અછાંદસની આ ખૂબી છે. અહીં સવાલોની પરંપરા છે, જેના જવાબ નાયિકાને ખબર જ છે કેમ કે જીવનમાં સતત પાનખરની જ અનુભૂતિ થઈ છે અથવા હૈયાને ઠારતા પ્રેમની અનુભૂતિ, જે ક્યારેય નથી થઈ એની વાત છે.. એટલે આમ જુઓ તો સવાલમાં જવાબ સમાયેલો છે… પણ આ પ્રેમની તરસ છે, માનવી પાસે કંઇનું કંઇ કરાવે છે. હવે એની જીદ છે, એ પુરુષના મોઢે સાંભળવાની કે
“તેં મને ક્યારેય ચાહી હતી ખરી ?”
એક ‘ય’ મૂકીને કવિતાએ ચમત્કૃતિ અને કલા બંને નિશાન સાધી લીધા છે !
3.8.21
આભાર આપનો
04-08-2021
આભાર સરલાબેન, છબીલભાઈ, મેવાડાજી, કિશોરભાઇ.
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.
Sarla Sutaria
04-08-2021
આહા… પ્રશ્ન પરંપરાથી કવયત્રિએ જે રજૂઆત કરી છે તે મજાની છે. દરેક સ્ત્રી આવા પ્રશ્નો પૂછવા ઈચ્છતી જ હશે!
કિશોર બારોટ
04-08-2021
સુંદર કવિતા
ડો. પરુષોત્તમ મેવાડા, સાજ
03-08-2021
ખરી વાત સામાન્ય રીતનો કવિતાની શરુઆત, પણ છેલ્લે ‘ય’ મૂકીને જે કહેવું હતું તે કહી દીધી, અને કમાલ કરી.
છબીલભાઈ ત્રિવેદી
03-08-2021
આજનુ સુચિતાકપુરજી નુ અછાંદસ કાવ્ય ખુબજ સરસ બધા પ્રકારના કાવ્યો અે કાવ્ય વિશ્ર્વ ની સફળતા છે વિવિધ પ્રકારની રચનાઓ માણવા ની મજા આવે છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન
પ્રતિભાવો