કેવડિયાનો કાંટો
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.
બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.
તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ;
રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.’
~ રાજેન્દ્ર શાહ
કાવ્ય : રાજેન્દ્ર શાહ * સ્વરાંકન : અજિત મર્ચન્ટ * સ્વર : માધવી મહેતા

શબ્દ અને સ્વરભાવ ખૂબ જ સરસ.
સ્મરણ વંદના.
કવિ શ્રી રાજેન્દ્ર શાહ ને સ્મૃતિ વંદન. સુંદર ગીત.