એ વાંસળીને વાતા નથી
અમે સાંભળ્યું એ વાંસળીને વાતા નથી
કે આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.
હવે મધુવન તો જાણે કોઈ શમણાની વાત,
હવે યમુનાને તીર ઝૂરે એકલી ન જાત,
વહે વાસંતી વાયરો ને શાતા નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.
ક્યાંક આછો મલકાટ જાણે ખખડે છે પાન,
હોઠ ફફડે ને તોય નથી સંભળાતું ગાન,
ફૂલ ઉપવનની ભીડમાં સમાતાં નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.
~ હરીન્દ્ર દવે

સુંદર કાવ્યો .મજા આવી ગઈ
બન્ને રચના ખૂબ ખૂબ સરસ…
આજે કાવ્ય જોઈ શકાયો આનંદ થયો. બંને કાવ્યો મજાનાં.
હાશ. કામ ચાલુ જ છે. હું પણ ટેકનીકલ આસી. પર આધારિત છું. એટલે…..
બંને ગીતોમાં કનૈયાની રાધા માટેની વિરહ વેદના અનુભવાય છે.
ખુબ સરસ 👌🏽👌🏽