આંસુમાં સ્મિત કેરી પ્રભા શોધતો રહ્યો !
મૃત્યુ મહી જીવનની અદા શોધતો રહ્યો !
દુઃખ શોધતો રહ્યો. હું વ્યથા શોધતો રહ્યો !
જીવનને માણવાની કલા શોધતો રહ્યો !
કૈં ચેન જો પડ્યું તો વ્યથાની પડી મને !
પીડા ઘટી તો કાળી ઘટા શોધતો રહ્યો.
એના અદલની લાજ હતી મારા હાથમાં,
પાપો કરીને હું જ સજા શોધતો રહ્યો !
ચમકી શક્યો ન શૂન્ય જે તારલિયો આભમાં,
આંસુ બની નયનમાં જગા શોધતો રહ્યો.
~ શૂન્ય પાલનપુરી
શૂન્યસાહેબની વાત વગર ગુજરાતી ગઝલની વાત અધૂરી છે. શૂન્ય સાહેબે જીવનના અનેક રંગો નિહાળ્યા હતા, અંગ્રેજ કવિ વોલ્ટર એવેજની જેમ શૂન્યસાહેબ પણ ખુમારીથી કહી શકે છે કે “ જીવનના અગ્નિ-સમીપમાં મેં બન્ને હાથ ગરમ કર્યાં છે… અર્થાત લ્હાવો લૂંટ્યો છે..”
એમનો સંદેશો હતાશા, નિરાશાનો નથી, મત્લા જ જુઓને ‘આંસુમાં સ્મિતની પ્રભા’ ….. ‘મૃત્યુમાં જીવનની અદા’… આભના તારા’ને આંખમાં આંસુ બનાવવાની કલા તો શૂન્ય સાહેબ જ કરી જાણે
મકરંદ દવેએ શૂન્ય સાહેબ માટે કહ્યું છે : “મહાકવિની વાણીમાં જીવતાં- જાગતાં લોહી માંસથી ભરેલાં પાત્રો રમતાં હોય છે, એમની વાણીમાં હંમેશાં સનાતન તત્વનું અનુસંધાન રહેલું હોય છે..”
~ પરબતકુમાર નાયી

કવિશ્રી શૂન્ય પાલનપુરીની શબ્દ ચેતનાને વંદન
ખૂબ ખૂબ આભાર
આદરણીય લતાબેન
શૂન્ય પાલનપુરી સાહેબને સ્મરણ વંદન
મારો આનંદ ભાઈ…
શૂન્ય સાહેબને સમૃતિ વંદન.
જીવનના અગ્નિ-સમીપમાં મેં બન્ને હાથ ગરમ કર્યાં છે..
શૂન્ય સાહેબની ખુમારીને સલામ…
નતમસ્તક વંદન