નિશિ સિંહ ~ હાથ છૂટ્યો
હાથ છૂટ્યો પણ હ્રદય તો ત્યાં રહ્યું !
ના ઇલાજે તન ફકત પાછું વળ્યું !
કોણ સાચું માનશે ? કોને કહું ?
દિલ દેતાં તો દઇ દીધું ભારે પડયું !
જિંદગી છે સ્નેહનું ઝરણું અગર,
કોણ લથબથ, કોણ ખળખળ વિસ્તર્યુ ?
પ્રેમના વૈફલ્યની એ ફલશ્રુતિ,
કે પરખવું એકને નિષ્ફળ બન્યું !
લાગણીનું વિશ્વ છે સમૃદ્ધ પણ,
આ ઘરોબે કોણ અનહદ ઓગળ્યું !
એ નથી સમજાતું, શું છે પામવું ?
એ મને સમજાવતાં આંસુ સર્યું !
ચાલતી વેળા પ્રણયના માર્ગ પર,
એકધાર્યુ કોણ એ ચાહી શક્યું !
– નિશિ સિંહ
કવિ કવિતામાં પ્રગતિને પંથે છે. આ ગઝલમાં મને આ શેર ગમ્યો –
એ નથી સમજાતું, શું છે પામવું ? એ મને સમજાવતાં આંસુ સર્યું !’
સરસ નિશિ, લખતાં રહો.
4.6.21
Varij Luhar
07-06-2021
નિશી સિંહ નું કાવ્ય અને આસ્વાદ માણવા ગમ્યા
કિશોર બારોટ
06-06-2021
ગમી જાય તેવી ગઝલ.
નિશિ સિંહ
04-06-2021
ખૂબ સુંદર પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કરનાર સર્વ માનનીય મિત્રોનો ખૂબ ખૂબ આભાર ???
નિશિ સિંહ
04-06-2021
મારી કૃતિનો ખૂબ સુંદર રીતે ઉઘાડ કરવા અને કાવ્ય વિશ્વમાં સ્થાન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને વંદન
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
04-06-2021
ગઝલની મૂળભૂત વિભાવનાને ઉજાગર કરતી સરસ ગઝલ.
Varij Luhar
04-06-2021
ખૂબ સરસ કાવ્ય
રેખાબેન ભટ્ટ
04-06-2021
કોણ ખળખળ વિસ્તર્યું? વાહ, સુંદર નિશી સિંહ
પ્રતિભાવો