મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ ~ આપ કરી લે
આપ કરી લે ~ મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’
આપ કરી લે ઓળખાણ
એ સાચા શબદનાં પરમાણ
સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી ?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
સાચા શબદનાં પરમાણ
કોયલ ટહુકે આંબાડાળે,
અંગ ન તોડે, કંઠ ન વાળે,
ગંગા વહતી સમથળ ઢાળે,
ખેંચ નહિ, નહિ તાણ
સાચા શબદનાં પરમાણ
ફૂલ ખીલે નિત નવ જ્યમ ક્યારે,
શ્વાસ લિયે ને સૌરભ સારે,
અંતરથી એમ ઊઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ
એ સાચા શબદનાં પરમાણ
~ મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’
હૃદય સુધી પહોંચતી હૃદયની વાણી.
કવિના જન્મદિને સ્મૃતિવંદના…
OP 27.7.22
***
Meena Jagdish
31-08-2022
સ્વને ઓળખવાની વાત…🙏🏻🙏🏻🙏🏻
આભાર
01-08-2022
આભાર છબીલભાઈ, ચંદ્રશેખરજી, વારિજ ભાઈ, રન્નાદેજી
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર
રન્નાદે શાહ
01-08-2022
વાહ…r
છબીલભાઈ ત્રિવેદી
27-07-2022
કવિ ના જન્મદિને આધ્યાત્મિક રચના આભાર લતાબેન
ચંદ્રશેખર પંડ્યા
27-07-2022
આદરણીય કવિને જન્મદિવસે સ્મૃતિવંદન!
Varij
27-07-2022
આપણાં સૌના હ્રદયસ્થ કવિશ્રી…”ગાફિલ” સાહેબની શબ્દ ચેતનાને વંદન 🙏💐🙏
પ્રતિભાવો