શૂન્ય પાલનપુરી ~ * છું સદા ચકચૂર * Shoonya Palanpuri

અવતારી નથી

છું સદા ચકચૂર એ કૈં મયની બલિહારી નથી ;
મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી.

બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;
કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી.

તારલાઓની સભા પર મીટ માંડી શું કરું?
દિલ વિનાની કોઇપણ મહેફિલ મને પ્યારી નથી.

થઇ શકે છે એક મુદ્દા પર કયામતનો રકાસ –
ભાગ્યનું નિર્માણ કૈં મારી ગુનેગારી નથી!

એટલે તો કાળ સમો છું અડીખમ આજે પણ-
બાજીઓ હારી હશે, હિંમત હજી હારી નથી.

પાનખરને મેં વસંતો જેમ માણી છે જરૂર-
પાનખરને મેં વસંતો જેમ શણગારી નથી.

જયારે જયારે થાય છે ગ્લાનિ ગઝલને વિશ્વમાં –
શૂન્ય દોડે છે વહારે, જો કે અવતારી નથી.

~ ‘શૂન્ય’ પાલનપુરી

2 Responses

  1. સરસ મજાની રચના ખુબ ગમી

  2. 'સાજ' મેવાડા says:

    કવિની ખદ્દારી અને આત્મ વિશ્વાસ મક્તાના શૅરમાંવદખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: