પ્રફુલ્લ રાવલ ~ મારી આહ
તોય જરાય ન ભીંજાવાયું
એમ તો પડ્યો તો મૂશળધાર વરસાદ કલાકો સુધી
આવું બન્યું છે, બનતું રહે છે આજેયે અવારનવાર
બારીમાંથી દેખાતું આકાશ
છે એવું નથી એ કોણ માનશે ?
કોણ માનશે મારી હથેળીની રેખાઓ ભૂંસાવા માંડી છે
ને ટેરવાં સ્પર્શની ભાષા ભૂલી ગયા છે
વળી શબ્દો જાણે મારી રહ્યા છે ડંખ
કોણ માનશે મારી આંખમાં હું આથમી ગયો છું !
કોણ માનશે પવન તો થયો છે અનુકૂળ ઘણી વાર
તોય ક્યાંય જવાયું નથી, તસુયે ખસાયું નથી
છતાં માઈલોના માઈલ પહોંચી ગઈ છે
મારી આહ !
– પ્રફુલ્લ રાવલ
આવો સમય અનુભવાતો હશે ! કે જ્યારે વરસાદ ભીંજવે નહીં ! ટેરવાં રણઝણે નહીં ! હથેળીની રેખાઓ અદૃશ્ય થતી અનુભવાય ! બારીમાંથી દેખાતું આકાશ ખોવાતું જાય ! અરે, પોતાની જ આંખમાં આથમી જવું એટલે શું ? પાસેનું કશુંય પાસે ન હોય અને છતાંય નિશ્વાસો દૂર ને દૂર સુધી !
આથમવું એ ફરી ઉગવાનો સંદેશ હોય તોયે આ ગૂંગળાવી મૂકતો અનુભવ છે ! ને યાદ આવે રાવજી પટેલ
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
6.8.21
***
આપનો આભાર
08-08-2021
આભાર લલિતભાઈ, વારિજભાઈ, છબીલભાઈ, વિવેકભાઈ.
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.
લલિત ત્રિવેદી
08-08-2021
સરસ કાવ્ય
છબીલભાઈ ત્રિવેદી
06-08-2021
આજનુ પ્રફુલ્લ રાવલ નુ કાવ્ય ખુબજ સરસ અેક અેવો સમય દરેક ના જીવન મા આવેજ છે જે કવિ અે પોતાના કાવ્ય મા રજુ કર્યો છે કવિ દાદ બાપુ એ ઉંબરા ને ડુંગરા ની ઉપમા આપી છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન
Varij Luhar
06-08-2021
વાહ. સરસ કાવ્ય
Vivek Tailor
06-08-2021
સરસ રચના
ખૂબ સરસ.