મનોજ ખંડેરિયા ~ પકડો કલમ ને * Manoj Khanderiya
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને : મનોજ ખંડેરિયા
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને
એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને
તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને
~ મનોજ ખંડેરિયા
જૂનાગઢના કવિને નરસિંહ મહેતા તો નસ નસમાં ભર્યા હોય ! ભાવકજનોના હૈયે વસેલી આ ગઝલ વિશે કશું પણ કહેવાને આ કલમ સમર્થ નથી…. વાંચતાં જ આંખ આખેઆખી ઠરે છે ! ગઝલના એક એક શેર એવો દિવો લઈને આવે છે કે મનને અજવાળાં ઘેરી વળે છે.
27.10.21
***
સાજ મેવાડા
28-10-2021
આદરણીય કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ ગઝલ મારી ગમતી ગઝલ છે, વધારે શું કહેવું?
છબીલભાઈ ત્રિવેદી
27-10-2021
નરસૈયો તો જુનાગઢ નો પ્રાણ છે કવિ ની અન્ય એક કવિતા તળેટી મા જાતા કયાક લાગ્યા કરે છે અને કરતાલ હજી કયાક વાગ્યા કરે છે પ્રણામ
Varij Luhar
27-10-2021
ગરવીલા કવિશ્રી મનોજ ખંડેરિયા ની શબ્દ ચેતનાને વંદન
Kirti Sha
27-10-2021
Lovely and lively Gazal A rare poem .
પ્રતિભાવો