નિરંજન ભગત ~ હરિવર * Niranjan Bhagat
હરિવર મુજને હરી ગયો ~ નિરંજન ભગત
હરિવર મુજને હરી ગયો !
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો !
અબુધ અંતરની હું નારી, હું શું જાણું પ્રીતિ ?
હું શું જાણું કામણગારી, મુજ હૈયે છે ગીતિ ?
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો !
સપનામાંયે જે ના દીઠું, એ જાગીને જોવું !
આ તે સુખ છે કે દુ:ખ મીઠું ? રે હસવું કે રોવું ?
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો !
હરિવર મુજને હરી ગયો !
~ નિરંજન ભગત (18.5.1926 – 1.2.2018)
ભગતસાહેબની વિદાયને આજે ચાર વર્ષ પૂરાં થશે….. એમનાં જેવાં વ્યક્તિત્વો દુર્લભ છે !
એમની પૂણ્યસ્મૃતિએ વંદન સહ એમનું આ હરિગીત
1.2.22
*****
આભાર
05-02-2022
આભાર છબીલભાઈ, મેવાડાજી અને વિવેકભાઈ.
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.
છબીલભાઈ ત્રિવેદી
02-02-2022
આજના કાવ્યવિશ્ર્વ ના બન્ને કવિશ્રી ના કાવ્યો ખુબ સરસ. કવિનિરંજન ભગત નુ કાવ્ય પણ અેટલુજ ઉત્તમ ખુબ ખુબ અભિનંદન
વિવેક મનહર ટેલર
01-02-2022
વાહ… સુંદર!
સાજ મેવાડા
01-02-2022
ખૂબજ જાણીતું ગીત, આનંદ. અદ્ભૂત હરિ પ્રેમનો અુભભવ.
પ્રતિભાવો