દિનાનાથ વ્યાસ ~ આપણે પામી શક્યા ના 

કાળના અણસારને

આપણે પામી શક્યા ના કાળના અણસારને
ના શકી સમજી કદીયે પિંગલા ભરથારને.

રોમરોમે સ્ફુરણા છે કૃષ્ણનાં સ્મરણો તણી,
બસ કરો. ઉદ્ધવ તમારા કૃષ્ણના અવતારને

ઝાંઝવાં પાછળ સીતા ને રામ પણ દોડ્યા કરે,
ના હણી સુવર્ણમૃગોની છતાં વણજારને.

(દ્રોણપુત્રો) લાખ છો બ્રહ્માસ્ત્રને છોડ્યા કરે,
કૃષ્ણ અવતારી શકે છે (ઉત્તરાના) ગર્ભ કેરા ભારને.

છો ગળે ગાત્રો શિથિલ ચરણો ભલે ધ્રૂજ્યા કરે,
કૃષ્ણ યોગેશ્વ૨ ઊભો દેખ્યા કરે પગથારને.

~ દિનાનાથ વ્યાસ (7.11.1927)

કવિ જન્મસ્થળ સરસવણી (જિ. ખેડા). બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી એમ.એ. શિક્ષણકાર્ય.

‘વર્ષામંગલ (૧૯૬૮) એમનો કાવ્યસંગ્રહ.

કવિને જન્મદિને સ્મૃતિવંદના

4 thoughts on “દિનાનાથ વ્યાસ ~ આપણે પામી શક્યા ના ”

  1. બંને કવિઓની કવિતાઓ સોદ્દેશ છે. કવિઓને વંદન.

  2. હેતલ રાવ

    જોમ સભર રચનાઓ.👌👌👌 કવિને વંદન🙏🙏🙏

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *