🌹દિનવિશેષ 21 સપ્ટેમ્બર🌹
🌹દિનવિશેષ 21 સપ્ટેમ્બર🌹
*કહોને ક્યાં જઈને શ્રાદ્ધ કરું? મારા પિતૃઓને થોડુ વ્હાલ કરું. ~ લતા પંડયા
*છૂટકારો? એ વળી શી ચીજ છે? જિંદગી વિના બીજું ભારણ નથી. ~ પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’
*પથ્થર ને રેતીનો મનમાં સાબૂત રહે વિવેક, હું પગલું માંડું એક ~ દિનકરરાય ભટ્ટ ‘મીનપિયાસી’
*સૂરજને જોઈ મુખ કમલિની ફેરવે, હવે સૂરજને ઢૂંઢવું પાતાળ; મોઢું દેખાડવાનો મહિમા નહીં: એને પાંદડીને ચૂમવી વાચાળ.~ *જગદીશ જોષી
કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
આપ આપની કાવ્યપંક્તિ બદલવા ઇચ્છતા હો તો મને મોકલી શકો છો. – સંપાદક
વાહ બધાજ કોટ્સ ખુબ સરસ