રમણભાઈ બી. પટેલ ~ સૂરજના સાત અશ્વો * Ramanbhai B Patel
વિસ્તાર થઈ જવાનો
સૂરજના સાત અશ્વો રાતે રડી પડે છે
ક્યારેક ભરબપોરે અંધાર થઈ જવાનો.
અંધારમાં દિશાઓ ફંફોસતી હવાનો
આજે નહીં તો કાલે આકાર થઈ જવાનો.
જંગલની કેડીઓને આ શી ૨મત સૂઝી છે?
વેળા-કવેળા દરિયો ભેંકાર થઈ જવાનો.
વેળા વહી જશે તો શું થશે સમયનું?
ક્ષણ એક ઝંખનાનો વિસ્તાર થઈ જવાનો.
~ રમણભાઈ બી. પટેલ 19.8.1925 – 19.9.2001
કાવ્યસંગ્રહ ‘પ્રતીતિ’. છંદોબદ્ધ કાવ્યો સાથે ગીતો અને કાવ્યાનુવાદો પણ કર્યા છે.
કવિને જન્મદિને સ્મૃતિવંદના
સરસ રચના કવિ શ્રી ને જન્મદિવસ ની શુભ કામના