રવિગાન
પોતાના નવલખ તારલા જેણે ખોયેલા છે તેવા પ્રભાતની સન્મુખ, પોતે ગુમાવેલાં ઝાકળ બિંદુ કાજે ફૂલ કલ્પાંત કરે છે.
**
જીવનનાં નર્યા ધુમ્મસો અને ધુમાડાઓને આપણી કામના મેઘધનુષના રંગો વડે સજાવે છે.
**
પોતાનાં જ ખીલવેલા પુષ્પોને માનવી પાસેથી ઉપહાર રૂપે પાછાં પ્રાપ્ત કરવાની ઈશ્વર રાહ જોતો રહે છે.
**
ફળની સેવા મૂલ્યવાન છે. ફૂલની સેવા મધુર છે પણ મારી સેવા નમ્ર ભક્તિભરી પાંદડાની છાયા સમી હજો.
**
આ ઝંઝાવાત તેં, પૃથ્વી જેના પ્રેમની અવહેલના કર્યા કરે છે તેવા કોઈ વેદનાગ્રસ્ત દેવતાના ચિત્કાર સમાન છે.
**
નિષ્ફળ નીવડેલાં પ્રેમ થકી જીવન વધુ સમૃદ્ધ બન્યું છે.
સાભાર : ‘રવિ–લહર’ – વસંત પરીખ
28.3.21
પ્રતિભાવો