દલપતરામ ~ એક શરણાઈવાળો
એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે.
એકને જ જાચું એવી ટેક છેક રાખી એક
શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.
કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ,
“ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે.
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.”
~ દલપતરામ
રૂઢિપ્રયોગ જેવી બની ગયેલી, કેટલી જાણીતી છે આ પંક્તિઓ “પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ? સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.” પણ બહુ ઓછાને ખબર હશે કે કવિ દલપતરામના કાવ્યની આ અંતિમ પંક્તિઓ છે !
OP 25.3.22
*****
સાજ મેવાડા
25-03-2022
કવિ દલપતરામની કવિતાઓમાં આવી સરસ સમજવા જેવી વાતો વણાયેલી છે, આ એનો સર્વોત્તમ દાખલો છે.
છબીલભાઈ ત્રિવેદી
25-03-2022
આદરણીય કવિ શ્રી દલપતરામ ની રચના ખુબ સરસ ઘણા વરસ આ કવિતા બાળકો ને ભણાવી.
પ્રતિભાવો