અમિત સોલંકી ~ ચા

પુરેપુરી  ઉકાળી,  ‘ને પછી ઠારવાની,
આ જિંદગીને બસ  ચ્હા  ધારવાની.

પ્હેલાં બને એટલી એને બગાડવાની,
કરવી આજીજી પછી,  સુધારવાની.

અમને તો આ  હરણાં હડિયું કઢાવે,
આપને તો  ગભરૂ  ગાયો  ચારવાની.

ના તરતાં આવડે,  ના મરતાં  આવડે,
‘ને કિસ્મત લૈ આવ્યા સૌ ખારવાની.

મરજીવા હશે, તે મોતી લઈ જવાના,
કાંઠે બેસનારે  માછલીઓ મારવાની.

સંઘ ક્યારે પ્હોંચશે શ્વાનનો કાશીએ,
ના ખબર, ન ખાતરી  મળે કારવાંની.

છો હલેસુ ‘અમિત’, તમે એના હાથનું,
એમ કહી મનફાવે એમ  હંકારવાની.  

~ અમિત સોલંકી

આજે ‘ચા દિન’ની કાવ્યમાં મજા

8 Responses

  1. ઉમેશ જોષી says:

    ચા….કવિ અમિત સોલંકીની ખૂબ સરસ ગઝલ છે.

    અભિનંદન.

  2. વાહ ચા જેવા વિષય પર કવિતા,,, કવિ શ્રી ની કમાલ ખુબ ખુબ અભિનંદન

  3. Minal Oza says:

    ચાની ચાહ કવિતા લખવા પ્રેરે.

  4. ખૂબ સરસ ગઝલ

  5. દીપક આર. વાલેરા says:

    વાહ

  6. વહીદા ડ્રાઈવર says:

    સારી રચના

  7. મરજીવા હશે તે મોતી લઈ જાશે … વાહ!

  8. હરીશ દાસાણી.મુંબઈ says:

    હળવા હૈયાની મજાની ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: