શૂન્ય પાલનપુરી ~ જેને ખબર નથી * સ્વર મનહર ઉધાસ

જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ?

સાકી જે મયકશીની અદબ રાખતા નથી
પામી શકે એ તારી નજરનો મુકામ શું ?

અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો
ઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું ?

મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામ
જે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ?

~ શૂન્ય પાલનપુરી

જેમની જન્મશતાબ્દી ચાલી રહી છે એવા ધરખમ શાયર શૂન્ય પાલનપુરીની આ મસ્ત ગઝલ માણો મનહર ઉધાસના કંઠે  

કાવ્ય : શૂન્ય પાલનપુરી * સ્વર : મનહર ઉધાસ 

2 thoughts on “શૂન્ય પાલનપુરી ~ જેને ખબર નથી * સ્વર મનહર ઉધાસ”

  1. “જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
    એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ”
    આ શેરનો ઊંડો અર્થ સમજાય ત્યારે ખૂબ દાદ દેવાઈ જાય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *