
જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ?
સાકી જે મયકશીની અદબ રાખતા નથી
પામી શકે એ તારી નજરનો મુકામ શું ?
અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો
ઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું ?
મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામ
જે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ?
~ શૂન્ય પાલનપુરી
જેમની જન્મશતાબ્દી ચાલી રહી છે એવા ધરખમ શાયર શૂન્ય પાલનપુરીની આ મસ્ત ગઝલ માણો મનહર ઉધાસના કંઠે
કાવ્ય : શૂન્ય પાલનપુરી * સ્વર : મનહર ઉધાસ

“જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ”
આ શેરનો ઊંડો અર્થ સમજાય ત્યારે ખૂબ દાદ દેવાઈ જાય.