મનહર મોદી ~ અવાજો તો

અવાજો તો બધેથી આવવાના ~ મનહર મોદી

અવાજો તો બધેથી આવવાના
હશે રસ્તા તો લોકો ચાલવાના

હૃદયનું હોય તો સમજાય, આ તો
સૂકી રેતીમાં દરિયા દાટવાના

ઘણા વર્ષોથી હુંયે કામમાં છું
બધા પડછાયા ઢગલે ઢાળવાના

ગણતરીના દિવસ બાકી બચ્યા છે
હવે વરસાદમાં શું વાવવાના ?

મુસાફર હોઈએ એથી રૂડું શું ?
અમે રસ્તા વગર પણ ચાલવાના.

મનહર મોદી

રસ્તા વગર પણ મોજથી ચાલનારા કવિ એ મનહર મોદી !

OP 23.3.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: