મનહર મોદી ~ ઝળહળ ઝળહળ
ઝળહળ ઝળહળ અંધારું છે
હું એનો ને એ મારું છે
આ ઘર ઓ ઘર ને એ ઘર
ના મારું કે ના તારું છે
વાંધો શો છે વ્હેંચી લઈએ
અજવાળું તો મજિયારું છે
દુઃખને દુઃખ ભેટે છે હોંશે
આવું સુખ સૌથી સારું છે
કોક વખત એવું પણ લાગે
અજવાળું તો અંધારું છે
આભ અને એથી ઊંચે તું
પંખી કેવું ઊડનારું છે!
પડવું, ઊઠવું, ચાલ્યા કરવું
ભઈલાજી, આ સંસારું છે
~ મનહર મોદી
ખુબ સરસ મજાની રચના કાવ્યવિશ્ર્વ ની અેતો મજા છે અવનવા કાવ્યો માણવા મળે છે સાહિત્ય ની ખુબ સારી સેવા અભિનંદન
આભારી છું છબીલભાઈ
“વાંધો શો છે વ્હેંચી લઈએ
અજવાળું તો મજિયારું છે”
ખૂબ સરસ શૅર.
મનહર મોદીની કોઈપણ ગઝલ લો, ખૂબ અલગ જ હોવાની. મને તો ગમે છે મનહર મોદીની બધી
જ ગઝલ.💐💐💐🙏