અશરફ ડબાવાલા ~ અવતરે ઈશ્વર
અવતરે ઈશ્વર તો એને ધર્મ કેવાં લાગશે ?
જન્મથી નક્કી છે એને વર્ગ કેવાં લાગશે ?
જો અધિવેશન ભરાતું હો ફૂલો ને મહેકનું
મંચ પર અત્તરના ત્યાં સંદર્ભ કેવાં લાગશે ?
મારા બરનું કામ દઈ દે, કાં પછી દિવાનગી
વચમાં રહું તો પછી અડધાપડધા કર્મ કેવાં લાગશે ?
ઝેરનાં મારણની વિદ્યામાં છો પારંગત તમે
ઝેર જો પીવાં પડે તો સર્પ કેવાં લાગશે ?
ચસ્કો એવો લાગ્યો છે નશ્વર જનમનો કે હવે
કોણ જાણે અમને એનાં સ્વર્ગ કેવાં લાગશે ?
– અશરફ ડબાવાલા
ધર્મ અને નાતજાતના વાડા માટે કટાક્ષ, માનવીની વૃત્તિ માટે ચાબખા…. અને છેવટે જાત માટેની સચ્ચાઈ….
19.4.21
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
20-04-2021
કવિ અશરફ જીની ગઝલ ખૂબ સરસ.
શિલ્પી બુરેઠા
19-04-2021
વાહ , ક્યા બાત
લતા હિરાણી
19-04-2021
વિપુલભાઈ, મેવાડાજી, વારિજભાઈ અને જિજ્ઞા ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર.
vipul acharya
19-04-2021
vinod joshi ane Ashraf Dabawala ni krutio saras.
પ્રતિભાવો