સુંદરમની શાંતિ

સુંદરમનો એક પર્યાય શાંતિ હતો. મને નથી સાંભળતું કે એમણે ક્યારેય ક્યાંય અશાંતિ કરી કે અનુભવી હોય. પોતાનું વ્યાખ્યાન ચાલુ હોય અને વચ્ચે કબુતર ઘૂઘવે તો સાવ શાંત કોઠે વ્યાખ્યાન બંધ કરીને ઘૂઘવતા કબૂતર સામુ સસ્મિત નિહાળ્યા કરે ! અહીં ક્યાં ઉતાવળ છે, કે ક્યાં કંઈ કહી નાખવાનો અભરખો છે ! બોલવાનું પ્રાપ્ત થયું તો બોલ્યા, વચ્ચે અડચણ આવી તો અટક્યા !  કંઈ કરી નાખવાની ઈચ્છા જ જ્યાં વિલિન થઈ ગઈ હોય ત્યાં બીજું શું?

~ નરોતમ પલાણ : ‘એક અધ્યાપકની ડાયરી’માંથી

સુંદરમ કદી યાદ ન અપાવે કે એ સુંદરમ છે. ઉમાશંકર કદી ભૂલવા ન દે કે એ ઉમાશંકર છે.- સુરેશ દલાલ  

5 thoughts on “સુંદરમની શાંતિ”

  1. કેટલું સરસ સુંદરમ્ નું વ્યક્તિત્વ! વંદન..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *