મિલિન્દ ગઢવી ~ તું મળે
તું મળે તો ઉજાસ થઈ જાશે
આંખનો પણ વિકાસ થઈ જાશે
ચાલ તારા વિચારમાં આવું
એ બહાને પ્રવાસ થઈ જાશે
એમ માનીને રોજ જીવું છું
કાલે દુનિયા ખલાસ થઈ જાશે
એક દિ’ આ બધાં સ્મરણ તારાં
મારી ગઝલોના પ્રાસ થઈ જાશે
એને મંદિરની બ્હાર ના કાઢો
ખાલી ખોટો ઉદાસ થઈ જાશે
– મિલિન્દ ગઢવી
જેના પ્રેમમાં હોઈએ એના વિચારમાં કેટલી પળો જતી હોય ! પણ આ મનવિહારને પ્રવાસ કહેવાનું તો કવિ જ વિચારી શકે ! અને ‘એમ માનીને રોજ જીવું છું, કાલે દુનિયા ખલાસ થઈ જાશે !’ કાશ આપણે આવી રીતે જીવનનો આનંદ લૂંટી શકતા હોઈએ !
9.9.21
***
Sarla Sutaria
11-09-2021
મિલિન્દભાઈની મજાની ગઝલ.
છબીલભાઈ ત્રિવેદી
11-09-2021
ભાઈ શ્રી મિલીન્દ ગઢવી ની રચના ખુબ સરસ અમારા મિત્ર છે ખુબ રૂબરૂ સાંભળેલા છેસરસ રચના ઓ હોય છે અભિનંદન આભાર લતાબેન
મયૂર કોલડિયા
10-09-2021
બધા શેર મજાના…. ઉમદા ગઝલ
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
09-09-2021
સરસ સાદી બાનીમાં સુંદર પ્રેમ ભાવ વ્યક્ત થયો છે.
કિશોર બારોટ
09-09-2021
મજાની ગઝલ
પ્રતિભાવો