મનહરલાલ ચોકસી ‘મુનવ્વર’ ~ જેને હું વાતવાતમાં

🥀 🥀

*વાતવાતમાં*

જેને હું વાતવાતમાં ઉલ્લેખતો રહું,
એ શક્ય છે કે એને કદી પણ ન ઓળખું.

એ પણ મજા કે હું જ સદા બોલતો રહું,
તમને લજામણી ન કહું તો હું શું કરું?

તારા જતાં જ મારું પણ અસ્તિત્વ ના રહ્યું,
જીવન તો તારા શ્વાસને ઉચ્છવાસથી હતું.

શબ્દો જ માત્ર મારા અધિકારના હતા,
ગીતોય કોઈનાં છે અને દર્દ કોઈનું.

હોવા વિષે તો આમ બધા એકમત થશે,
હોવાની વાત કોઈ પણ સમજી નથી શક્યું.

સંકેત સૂર્ય આપી શકે જો પ્રકાશનો-,
રાતે આ તારલાનું વળી કામ શું હતું?

મનહર’ જીવનમાં કોઈ દી’ જાણી નહી શક્યો
છે કોણ આપણું અને છે કોણ પારકું?

~ મનહરલાલ ચોક્સી (29.9.1929 – 4.5.2005)

1 thought on “મનહરલાલ ચોકસી ‘મુનવ્વર’ ~ જેને હું વાતવાતમાં”

  1. લલિત ત્રિવેદી

    આદરણીય કવિશ્રીને પ્રણામ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *