*આવ્યો હશે*
ઇચ્છાસર હવેલીમાં પવન આવ્યો હશે
ખેપ ખૂશ્બોની કરી ‘ઇર્શાદ’ શું લાવ્યો હશે ?
એમ અટકળ થાય છે કે કોઈ સમજણને લીધે
રોજ સાથે ચાલનારે માર્ગ ટૂંકાવ્યો હશે.
પ્હાડ પર ચડશે અને ત્યારે તળેટી છોડશે
એ વગર તેં હાથ તારો આ…મ લંબાવ્યો હશે.
જાળ સાથે પંખીઓ ગાયબ થયાં એ સાંભળી
ભીંત વચ્ચોવચ પવનને બાંધી દોડાવ્યો હશે.
ભીંત વચ્ચોવચ પવનને બાંધી દોડાવ્યો હશે
ખેપ ખૂશ્બોની કરી ‘ઇર્શાદ’ શું લાવ્યો હશે ?
~ ચિનુ મોદી (30.9.1939 – 19.3.2017)
