વારિજ લુહાર ~ તળેટીનો તાગ

તળેટીનો તાગ જે પામી શકે,
શિખર પર સ્થિરતા સ્થાપી શકે.

નથી માંગ્યું માંગવા જેવું કદી,
એ જો ધારે તો બધું આપી શકે.

કરી લે સમથળ જે એનું આંગણું,
ગમે ત્યારે મોજથી નાચી શકે.

અહંકારો ગિરવી મૂક્યા પછી,
કરજ જેવું ના કદી લાગી શકે.

તજી દીધી હોય જો માયા બધી,
ન ઘર છોડી એ કશે ભાગી શકે.

~ વારિજ લુહાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *