અંધારને, અજવાસને સાથે મૂકીને જો
અવકાશને, આ શ્વાસને સાથે મૂકીને જો
પીળાં ફૂલોનો સૂર્ય નહીં આથમે કદી
સ્મરણ અને સુવાસને સાથે મૂકીને જો
તું હોય છે તો હોય છે સ્પર્શોની વારતા
તું લાગણીના પ્રાસને સાથે મૂકીને જો
ગઇકાલની હવાઓ તને સાંભરી જશે
ઝાંખો દીવો, ઉજાસને સાથે મૂકીને જો
લથબથ અવાજમાં કશું તેં પણ કહ્યું હતું
ગઝલને, બાહુપાશને સાથે મૂકીને જો
~ જયેન્દ્ર શેખડીવાળા
અંધારા અજવાળાં ને શ્વાસ અને સ્પર્શ સાથે સીધો સંબંધ છે…. એમાંય જ્યારે પ્રેમીઓની વાત હોય…. પછી લથબથ અવાજ…. બાહુપાશ….
*****
