જયેન્દ્ર શેખડીવાળા ~તું જેને

*તું જેને વરસાદ કહે છે*

તું જેને વરસાદ કહે છે
એને હું આપણી વચ્ચેનો અશ્રુસેતુ કહું છું

તું જેને અશ્રુસેતુ કહે છે
એને હું આપણી ભીનાશની લિપિ કહું છું

તું જેને ભીનાશ કહે છે
એને હું આપણામાં ઓગળી ગયેલો ગોરંભો કહું છું

તું જેને ગોરંભો કહે છે
એને હું કવિતા મઢેલો ચિત્તપ્રદેશ કહું છું

તું જેને કવિતા મઢેલો ચિત્તપ્રદેશ કહે છે
એને હું વરસાદ કહું છું.

પ્રમેયની જેમ કવિએ તારો અને મારો વરસાદ એક છે એ સિદ્ધ કરી બતાવ્યું…. વાત તો એકત્વની કરવાની છે….

વરસાદી પ્રેમનું રોમાંચક કાવ્ય.

*****

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *