અકળાય છે
એકધારા કામથી અકળાય છે,
એટલે આ મોસમો બદલાય છે.
કેવું સુંદર છળ રચે છે સૂર્ય પણ,
સૌની સામે રોજ ડૂબી જાય છે !
કોણ કહે, પાષાણને ભાષા નથી ?
પથ્થરોમાંથી તો મૂર્તિ થાય છે !
જયારે કોઈ પંખીનો માળો તૂટે,
વૃક્ષ પણ સાથે જ ત્યાં વીંધાય છે.
વન અને વનવાસીને જોયા પછી,
દેહ ને આત્મા વિશે સમજાય છે.
~ સંધ્યા ભટ્ટ
પંખીનો માળો તૂટવા સાથે વૃક્ષ પણ વીંધાય છે… સચોટ વાત
