રઘુવીર ચૌધરી ~ સાગરતીરે

એકલતા

સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
મોજું આવે કોક રહીને અડકે ચરણ જતાં.

ઊડી ગયાં સહુ વિહંગ નભથી
નીરવતા ફરકે છે સઢથી,
દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

કરે સ્પર્શ અંધાર શ્વાસને,
એક કરે મુજને – વિશાળને,
કોક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
~ રઘુવીર ચૌધરી

કવિને ભારત સરકાર તરફથી પદ્યશ્રી એનાયત થયો છે. કવિની પ્રતિભાને વંદન.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *