રવીન્દ્ર પારેખ ~ કોની વાતે

કોની વાતે

કોની વાતે તું ભરમાઈ ?
કોણ કબૂલે એ સચ્ચાઈ ?

હું ઝાકળ છું, તું આંસુ છે,
તારે મારે શી સરસાઈ ?

કોણ છૂટું પડતું કોનાથી,
વાત મને એ ના સમજાઈ.

આ તો તેજ વગર બળવાનું,
એનું નામ જ અખ્ખર ઢાઈ.

જળનાં ટીપાં જેવી યાદો,
વધતાં વધતાં થૈ દરિયાઈ.

હોય ન જ્યારે પણ તું સાથે,
હાથવગી મારે તન્હાઈ.

મારે બદલે યાદ મને તું,
મારે બીજી કઇ અખિલાઈ ?

~ રવીન્દ્ર પારેખ

જળના ટીપાં જેવી યાદો, વધતાં વધતાં થૈ દરિયાઈ…. બધા જ શેર સરસ પણ આ વિશેષ ગમ્યો…

કોઈના સ્મરણમાં જાત ભૂલી જવાય એ કેટલું મોટું સુખ….

@@

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *