હરિકૃષ્ણ પાઠક ~ સતત રહીને પરી

હું વિઠ્ઠલવરને વરી

સતત રહીને પરી, વરી હું વિઠ્ઠલવરને વરી

હું જાણું કે સામો ચાલી એ તો શીદને આવે,
દૂર રહીને બહુ બહુ તો એ વેણુનાદ બજાવે.
મેં તો મારી સઘળી સુરતા ચરણકમળમાં ધરી,
વરી હું વિઠ્ઠલવરને વરી

એ પંડે ઘનશ્યામ, ગમે તો ભલે ખાબકી પડે,
હું તો ખાલી વાદલડી તે બેત્રણ છાંટા જડે.
તોય પલળતાં આવી ઊભો, શી અણધારી કરી !
વરી હું વિઠ્ઠલવરને વરી.

~ હરિકૃષ્ણ પાઠક

કવિના જન્મદિને સ્નેહવંદના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *