🥀🥀
કોણ રતિના રાગે,
રે મન મન્મથ જેવું જાગે?
જે ભસ્મીભૂત, મૃત, રુદ્રનયનથી;
એ અવ શિશિરશયનથી
જાગે વસંતના વરણાગે!
એના શ્વાસેશ્વાસે
વાગે મલયાનિલની વાંસળીઓ,
એના હાસવિલાસે
જાગે કેસૂડાની કૈં કળીઓ;
રે વન નન્દનવન શું લાગે!
~ નિરંજન ભગત (18.5.1926 – 1.2.2018)
કવિની જન્મશતાબ્દી ઉજવાઈ રહી છે એ નિમિત્તે આપને કવિની રચનાઓ માણતા રહીશું.
લાજવાબ કાવ્યકૃતિ
ભગત સાહેબની ઉત્તમ રચના. જન્મશતાબ્દી વર્ષે એમને વંદન.