
🥀🥀
પરાપૂર્વથી એક ઘેટું ઘટે છે
ગણી જો, હજી એક ઘેટું ઘટે છે
વિચારી-વિચારી થયા વૃદ્ધ લોકો
વિચાર્યું કદીઃ એક ઘેટું ઘટે છે?
ઝળેળાટ સૂરજ, સુગંધી પવન છે
વહે છે નદી, એક ઘેટું ઘટે છે
ન વારણ-નિવારણ, ન કારણ-પ્રયોજન
ખુલાસો નથી, એક ઘેટું ઘટે છે
~ શિલ્પીન થાનકી
‘ઘેંટું ઘટે છે’ રદીફથી કવિ શું કહેવા માંગે છે ?
અનેક અર્થ નીકળી શકે.
મૂળે તો ઘેંટું બિચારું વિચાર્યા વગર સમૂહમાં ચાલવા વગોવાયેલું છે. અલબત્ત હમણાં ક્યાંક વાંચ્યું કે જો ઘેંટાના બચ્ચાને બાળપણથી એકલા ચાલવાની તાલીમ આપવામાં આવે તો એ સમૂહમાં દોરવાશે નહીં.
અહીં એવું સમજાય છે કે દરેક સમૂહને વધુ ને વધુ ઘેંટાની જરૂર હોય છે જે કશુંય વિચાર્યા વગર બસ દોરવાયા કરે.. સંપ્રદાયો, સંસ્થાઓ, નેતાઓ…. અને મોટાભાગે સમાજ એ જાતનો જ બનેલો નથી?

હુ કહે છે: ‘મંદિરે ઈશ્વર નથી’,
હું કહું છું: ‘ત્યાં ફ્ક્ત પથ્થર નથી’.
સુંદર રચના છે 👌👌🙏
સરસ રચનાઓ ધન્યવાદ