🥀🥀
હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી
હું માંગુ ને તું આપી દે એ વાત મને મંજૂર નથી
આ આંખ ઉઘાડી હોય છતાં પામે જ નહિ દર્શન તારાં
એ હોય ન હોય બરાબર છે બેનૂર છે માહનૂર નથી
જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને
એ પાણી વિનાના સાગરની નાઝિરને કશીય જરૂર નથી
~ નાઝીર દેખૈયા
સ્વરઃ મનહર ઉધાસ

નાઝીરની શ્રેષ્ઠ ગઝલો.
સદ્ગત શકાય નાઝિર દેખૈયાની દરેક ગઝલ મને ખૂબ ગમે છે. મનહરભાઈ એ ગાઈને એને ખૂબ જાણીતી કરીને એમને માન આપ્યું છે. સ્મૃતિ વંદન.