અશોક વાજપેઈ ~ તેઓ એક પીંજરું લાવશે * Ashok Vajpei * Kishor Shah  

તેઓ એક પીંજરું લાવશે
અદૃશ્ય
પણ તેને છોડીને પછીથી
ઊડી નહીં શકાય.

તેઓ વચન આપશે આકાશનું
તેઓ ઉલ્લેખ કરશે તેની
અસીમ ભૂરાશનો
પણ તેઓ લાવશે પીંજરું.

પછી તેઓ હળવેથી સમજાવશે
કે આકાશમાં જતાં પહેલાં
પીંજરાનો અભ્યાસ જરૂરી છે.

પછી તેઓ કહેશે કે આકાશમાં ખૂબ જોખમ છે
કે ક્યાંય નથી આકાશ
કે આકાશ પણ અંતે તો પીંજરું છે.

પછી તેઓ પીંજરામાં
તમને છોડીને
આકાશમાં
અદૃશ્ય થઈ જશે.

~ અશોક વાજપેયી (અનુ. કિશોર શાહ)

સૌજન્ય : લયસ્તરો

6 Responses

  1. ખુબ સરસ કાવ્ય ખુબ ગમ્યુ

  2. ઉમેશ જોષી says:

    ખૂબ સરસ રચના અને અનુવાદ પણ ખૂબ ખૂબ સરસ.

  3. Kirtichandra Shah says:

    Very Good Poem Dhanyvad

  4. હરીશ દાસાણી says:

    પિંજરું શબ્દ અનેક સંકેતોથી સમૃદ્ધ.સુંદર પ્રતીકાત્મક રચના

  5. ખૂબ સરસ માર્મિક અછાંદસ

  6. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    અશોક બાજપાઈ ની ખૂબ સંવેદનાથી ભરપૂર રચના… માનવની વ્યથા ખૂબ સરસ રીતે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: