અશોક વાજપેઈ ~ તેઓ એક પીંજરું લાવશે * Ashok Vajpei * Kishor Shah
તેઓ એક પીંજરું લાવશે
અદૃશ્ય
પણ તેને છોડીને પછીથી
ઊડી નહીં શકાય.
તેઓ વચન આપશે આકાશનું
તેઓ ઉલ્લેખ કરશે તેની
અસીમ ભૂરાશનો
પણ તેઓ લાવશે પીંજરું.
પછી તેઓ હળવેથી સમજાવશે
કે આકાશમાં જતાં પહેલાં
પીંજરાનો અભ્યાસ જરૂરી છે.
પછી તેઓ કહેશે કે આકાશમાં ખૂબ જોખમ છે
કે ક્યાંય નથી આકાશ
કે આકાશ પણ અંતે તો પીંજરું છે.
પછી તેઓ પીંજરામાં
તમને છોડીને
આકાશમાં
અદૃશ્ય થઈ જશે.
~ અશોક વાજપેયી (અનુ. કિશોર શાહ)
સૌજન્ય : લયસ્તરો
ખુબ સરસ કાવ્ય ખુબ ગમ્યુ
ખૂબ સરસ રચના અને અનુવાદ પણ ખૂબ ખૂબ સરસ.
Very Good Poem Dhanyvad
પિંજરું શબ્દ અનેક સંકેતોથી સમૃદ્ધ.સુંદર પ્રતીકાત્મક રચના
ખૂબ સરસ માર્મિક અછાંદસ
અશોક બાજપાઈ ની ખૂબ સંવેદનાથી ભરપૂર રચના… માનવની વ્યથા ખૂબ સરસ રીતે….