અમર પાલનપુરી ~ તરછોડયો જ્યારે

મન થયું

તરછોડયો જ્યારે આપે હસવાનું મન થયું
બોલાવ્યો જ્યારે આપે રડવાનું મન થયું.

ખોળામાં જ્યારે આપના માથું મૂકી દીધું,
સોગંદ તમારા ત્યાંને ત્યાં મરવાનું મન થયું.

દિલને મળ્યું જે દર્દ તે ઓછું પડ્યું હશે,
નહીંતર ફરી કાં આપને મળવાનું મન થયું.

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ,
નહીંતર કાં એની લાશને તરવાનું મન થયું.

~ અમર પાલનપુરી

1 thought on “અમર પાલનપુરી ~ તરછોડયો જ્યારે”

  1. 'સાજ' મેવાડા

    ખૂબ જ સરસ ટુંકી બહેરની ગઝલો. સ્નેહ યાદ કવિને.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *