માનવ હૃદય સુધી પહોંચવાનાં રોકેટ
જ્યારે કવિવર ઉમાશંકર જોશીએ Nikita Khrushchevને કહ્યું,
“હું માનવ હૃદય સુધી પહોંચવાનાં રોકેટ સર્જી રહ્યો છું.”
આ વાત 1960ની છે. એ વખતે રશિયાના પ્રેસિડેન્ટ Nikita Khrushchev ભારતની મુલાકાતે આવેલા. તેમના માનમાં જવાહરલાલ નેહરુએ ભોજન સમારંભ યોજેલો. તેમાં કવિવર ઉમાશંકર જોશીને પણ આમંત્રણ મળેલું.
નેહરુએ Nikita Khrushchevને ઉમાશંકર જોશીનો પરિચય કરાવ્યો. એ દિવસોમાં રશિયાએ રોકેટ છોડેલું. કવિએ Nikita Khrushchevને હળવાશથી કહ્યું કે I am devising rockets to reach the human heart (હું માનવ હૃદય સુધી પહોંચવાનાં રોકેટ સર્જી રહ્યો છું).
સાભાર : રમેશ તન્ના
OP 22.7.2021
પ્રતિભાવો