માનવ હૃદય સુધી પહોંચવાનાં રોકેટ

જ્યારે કવિવર ઉમાશંકર જોશીએ Nikita Khrushchevને કહ્યું,

“હું માનવ હૃદય સુધી પહોંચવાનાં રોકેટ સર્જી રહ્યો છું.”

આ વાત 1960ની છે. એ વખતે રશિયાના પ્રેસિડેન્ટ Nikita Khrushchev ભારતની મુલાકાતે આવેલા. તેમના માનમાં જવાહરલાલ નેહરુએ ભોજન સમારંભ યોજેલો. તેમાં કવિવર ઉમાશંકર જોશીને પણ આમંત્રણ મળેલું.

નેહરુએ Nikita Khrushchevને ઉમાશંકર જોશીનો પરિચય કરાવ્યો. એ દિવસોમાં રશિયાએ રોકેટ છોડેલું. કવિએ Nikita Khrushchevને હળવાશથી કહ્યું કે I am devising rockets to reach the human heart (હું માનવ હૃદય સુધી પહોંચવાનાં રોકેટ સર્જી રહ્યો છું).

સાભાર : રમેશ તન્ના

OP 22.7.2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: