વિપિન પરીખ ~ એ લોકોએ * Vipin Parikh

એ લોકોએ
ઈસુને ખીલા ઠોકી ઠોકી માર્યો,
એ લોકોએ
સૉક્રેટિસને ઝેર પાઇને માર્યો,
એ લોકોએ
ગાંધીને ગોળીથી વીંધી નાખ્યો,
પણ
એ લોકો મને નહીં મારી શકે,
કારણ
હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો.

~ વિપિન પરીખ

હૃદયની આરપાર ઉતરી જતું કાવ્ય

5 Responses

  1. ઉમેશ જોષી says:

    વાહ હ્રદયસ્પશીઁ રચના.

  2. Kirtichandra Shah says:

    Bhai Bipin Parikh, We are in gray area . Apni Rachna Sunder Che

  3. Minal Oza says:

    કવિને મતે ‘સાચને આંચ ‘ આવે છે એટલે સત્યનો આગ્રહ ન રાખવો એમ જ ને!?

  4. હ્રદયસ્પર્શી રચના અભિનંદન

  5. સાચું બોલવાનું બંધ કરવું પડે એ કેવી વિડંબના?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: