વિપિન પરીખ ~ એ લોકોએ * Vipin Parikh
એ લોકોએ
ઈસુને ખીલા ઠોકી ઠોકી માર્યો,
એ લોકોએ
સૉક્રેટિસને ઝેર પાઇને માર્યો,
એ લોકોએ
ગાંધીને ગોળીથી વીંધી નાખ્યો,
પણ
એ લોકો મને નહીં મારી શકે,
કારણ
હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો.
~ વિપિન પરીખ
હૃદયની આરપાર ઉતરી જતું કાવ્ય
વાહ હ્રદયસ્પશીઁ રચના.
Bhai Bipin Parikh, We are in gray area . Apni Rachna Sunder Che
કવિને મતે ‘સાચને આંચ ‘ આવે છે એટલે સત્યનો આગ્રહ ન રાખવો એમ જ ને!?
હ્રદયસ્પર્શી રચના અભિનંદન
સાચું બોલવાનું બંધ કરવું પડે એ કેવી વિડંબના?