વિપિન પરીખ ~ સફળ માણસો * Vipin Parikh

સફળ માણસો – વિપિન પરીખ

એક રવિવારની સાંજે
અમે બસ આમ જ

ચર્ચામાં ઊતરી પડ્યા :
‘ક્યો માણસ જિંદગીમાં સફળ થાય છે ?’
એકે કહ્યું,

‘એ જ માણસ સફળ થાય છે –
જે પોતાના ધ્યેય પાછળ રાતદિવસ મંડી રહે છે.’
તો બીજો કહે:

‘જે સંજોગોને સમયસર ઝડપી લે છે તે જ સફળ થાય છે.’
તો વળી કોઈ કહે:

‘ગમે તે હો ભાગ્ય વિના અહીં કોઈને કશું મળતું નથી.’
પણ એકે જે કહ્યું

તે સાંભળીને બધા હસી પડ્યા.
એણે કહ્યું:
‘સફળ માણસો કવિતા નથી લખતા.’

વિપિન પરીખ

કવિઓ કે કાવ્યપ્રેમીઓને આ કાવ્ય વિષે શું કહેવાનું હોય ? બસ, હસી લઈએ…. કેમ કે કવિતાની સંવેદના તો જેણે માણી હોય એ જ જાણે ને !

OP 21.3.22

***

સાજ મેવાડા

22-03-2022

“‘સફળ માણસો કવિતા નથી લખતા.’”.
ખૂબ સરસ પંચ લાઈન.

છબીલભાઈ ત્રિવેદી

22-03-2022

સફળ માણસો કવિતા નથી કરતા પણ જિંદગી જ અેક કવિતા છે સરસ કાવ્ય છે વિપીન પરિખને અભિનંદન

Kirtichandra Shah

21-03-2022

Wah Kavita Ho To Avi .Safal Manso Kavita Lakhta Nathi!

2 Responses

  1. રેખાબા સરવૈયા says:

    કવિતા લખતો માણસ, પેલા એ કવિતાને જીવતો હોય છે 🪷

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: