વિપિન પરીખ ~ સફળ માણસો * Vipin Parikh
સફળ માણસો – વિપિન પરીખ
એક રવિવારની સાંજે
અમે બસ આમ જ
ચર્ચામાં ઊતરી પડ્યા :
‘ક્યો માણસ જિંદગીમાં સફળ થાય છે ?’
એકે કહ્યું,
‘એ જ માણસ સફળ થાય છે –
જે પોતાના ધ્યેય પાછળ રાતદિવસ મંડી રહે છે.’
તો બીજો કહે:
‘જે સંજોગોને સમયસર ઝડપી લે છે તે જ સફળ થાય છે.’
તો વળી કોઈ કહે:
‘ગમે તે હો ભાગ્ય વિના અહીં કોઈને કશું મળતું નથી.’
પણ એકે જે કહ્યું
તે સાંભળીને બધા હસી પડ્યા.
એણે કહ્યું:
‘સફળ માણસો કવિતા નથી લખતા.’
~ વિપિન પરીખ
કવિઓ કે કાવ્યપ્રેમીઓને આ કાવ્ય વિષે શું કહેવાનું હોય ? બસ, હસી લઈએ…. કેમ કે કવિતાની સંવેદના તો જેણે માણી હોય એ જ જાણે ને !
OP 21.3.22
***
સાજ મેવાડા
22-03-2022
“‘સફળ માણસો કવિતા નથી લખતા.’”.
ખૂબ સરસ પંચ લાઈન.
છબીલભાઈ ત્રિવેદી
22-03-2022
સફળ માણસો કવિતા નથી કરતા પણ જિંદગી જ અેક કવિતા છે સરસ કાવ્ય છે વિપીન પરિખને અભિનંદન
Kirtichandra Shah
21-03-2022
Wah Kavita Ho To Avi .Safal Manso Kavita Lakhta Nathi!
કવિતા લખતો માણસ, પેલા એ કવિતાને જીવતો હોય છે 🪷
સાચું.